બુધવાર, 16 ફેબ્રુઆરી, 2011

સુખદુઃખ મનમાં ન આણીએ

સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં સુખદુઃખ મનમાં ન આણીએ નળરાજા સરખો નર નહીં જેનીદમયંતી રાણી; અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી સુખદુઃખ મનમાં ન આણીએ પાંચ પાંડવ સરખાં બાંધવા,જેને દ્રૌપદી રાણી; બાર વરસ વન ભોગવ્યાં, નયને નિદ્રા ન આણી સુખદુઃખ મનમાં ન આણીએ સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી; રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી સુખદુઃખ મનમાં ન આણીએ રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી; દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લૂંટાણી સુખદુઃખ મનમાં ન આણીએ હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી; તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચ ઘેર પાણી સુખદુઃખ મનમાં ન આણીએ શિવજી સરખા સતા નહીં, જેની પારવતી રાણી ભોળવાયા ભીલડી થકી, તપમાંખામી ગણાણી સુખદુઃખ મનમાં ન આણીએ એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે; જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે સુખદુઃખ મનમાં ન આણીએ સર્વ કોઈને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી; ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈંયાના સ્વામી સુખદુઃખ મનમાં ન આણીએ - નરસિંહ મહેતા