બુધવાર, 16 ફેબ્રુઆરી, 2011

જ્યાં લગી આત્મા તત્વ

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી. શુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી શું થયું ઘેર રહી દાન દીધે ? શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે, શું થયું વાળ લોચન કીધે ? શું થયું તપ ને તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહી નામ લીધે ? શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી, શું થયું ગંગાજળ પાન કીધે? શું થયું વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગ ને રંગ જાણ્યે ? શું થયું ખટ દર્શન સેવ્યાથકી, શું થયું વરણના ભેદ આણ્યે? એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા, આતમારામ પરિબ્રહ્મ ન જોયો; ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના, રત્ન-ચિંતામણિ જન્મ ખોયો. - નરસિંહ મહેતા