ગુરુવાર, 17 ફેબ્રુઆરી, 2011

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય જી ત્યાગ ન ટકે રે વૈરાગ વિના વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી ત્યાગ ન ટકે રે વૈરાગ વિના કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળન જાય જી સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી ત્યાગ ન ટકે રે વૈરાગ વિના ઉષ્ણ રતે અવની વિષે, બીજ નવ દીસે બહાર જી ઘન વરસે, વન પાંગરે, ઇંદ્રિ વિષય લે આકાર જી ત્યાગ ન ટકે રે વૈરાગ વિના ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિ વિષય સંજોગ જી અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગ જી ત્યાગ ન ટકે રે વૈરાગ વિના ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી ત્યાગ ન ટકે રે વૈરાગ વિના ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી ગયું ધૃત-મહી-માખણ થકી, આપે થયું રે અશુધ્ધ જી ત્યાગ ન ટકે રે વૈરાગ વિના પળમાં જોગી ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી નિષ્કુળાનંદ એ નરનો, વણ સમજ્યો વૈરાગ જી - નિષ્કુળાનંદ