ગુરુવાર, 17 ફેબ્રુઆરી, 2011

સિકંદરના ચાર ફરમાન

(૧) મારા મરણ વખતે બધીમિલકત અહીં પથરાવજોમારી નનામી સાથકબ્રસ્તાનમાં પણ લાવજો જે બાહુબળથી મેળવ્યુંએ ભોગવી પણ ના શક્યોઅબજોની દોલત આપતાંપણ એ સિકંદર ના બચ્યો(૨) મારું મરણ થાતાં બધાહથિયાર લશ્કર લાવજોપાછળ રહે મૃતદેહઆગળ સર્વને દોડાવજો આખા જગતને જીતનારુંસૈન્ય પણ રડતું રહ્યુંવિકરાળ દળ ભૂપાળનેનહિ કાળથી છોડાવી શક્યું(૩) મારા બધાં વૈદો હકીમોનેઅહીં બોલાવજોમારો જનાજો એ જ વૈદોનેખભે ઉપડાવજો કહો દર્દીઓના દર્દનેદફનાવનારું કોણ છે ?દોરી તૂટી આયુષ્યની તોસાંધનારું કોણ છે ?(૪) ખુલ્લી હથેળી રાખીનેજીવો જગતમાં આવતાંને ખાલી હાથે સૌ જનોઆ જગતથી ચાલ્યા જતાં યૌવન ફના, જીવન ફનાજર ને જવાહર છે ફનાપરલોકમાં પરિણામ ફળશેપુણ્યનાં ને પાપનાં