બુધવાર, 16 ફેબ્રુઆરી, 2011

એવા રે અમો એવા

એવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે જેનું મન જે સાથે બંધાણું પહેલું હતું ઘર રાતું રે હવે થયું છે હરિરસ માતું ઘેર ઘેર હીંડે છે ગાતું રે સઘળા સાથમાં હું એક ભૂંડો ભૂંડાથી વળી ભૂંડો રે તમારે મન માને તે કહેજો નેહ લાગ્યો છે ઊંડો રે કર્મ-ધર્મની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે સઘળા પદારથ જે થકી પામે મારા પ્રભુની તોલે ન આવે રે હળવા કરમનો હું નરસૈંયો મુજને તો વૈષ્ણવ વહાલા રે હરિજનથી જે અંતર ગણશે તેના ફોગટ ફેરા ઠાલા રે - નરસિંહ મહેતા